ઉનાળામાં શરીરમાં પાણીની કમી નહીં થવા દે આ ખોરાક ડાઉટર પાણી પીવાની ભલામણ કરે છે , પરંતુ દરેક વ્યક્તિ માટે દરરોજ બે લિટર પાણી પીવું શક્ય નથી , કોઈને તરસ વધુ લાગે છે તો કોઈને ઓછી લાગે છે . આવી સ્થિતિમાં દેખીતી બાબત એ છે કે ઓછી તરસ લાગતા લોકો પાણી પણ ઓછું પીતા હશે . આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓ લેવી જોઈએ , જેથી શરીરમાં પાણીની કમીની પૂર્તિ થઈ શકે . દહીં ડિહાઇડ્રેશનની સમસ્યાથી દૂર રહેવા માટે દહીં શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે , તેમાં ૮૫ ટકા પાણીની માત્રા હોય છે અને તેમાં શરીર માટે જરૂરી પ્રોબાયોટિક્સનો પૂરતો જથ્થો હોય છે , તે શરીરને ગરમીની એલર્જીથી બચાવવામાં પણ મદદ કરે છે . તે પ્રોટીન , વિટામિન – બી અને કેલ્શિયમનો સારો સ્રોત છે , બ્રોકોલી બોલીમાં ૮૯ ટકા જેટલું પાણી હોય છે અને તે પોપણથી સમૃદ્ધ છે . તેની પ્રકૃતિ એન્ટિઈન્ફલેમેટરી હોય છે ,
જેના કારણે તે ગરમીમાં થનારી એલર્જી સામે રક્ષણ આપે છે , તમે તેને ફક્ત સલાડમાં કાચી ખાઈ શકો છો અને તમે ચાહો ોં ટોર પર રોસ્ટ કરીને તેનો પૂરો ફાયદો પણ લઈ શકો છો . મોટા ભાગના લોકો તેની શાકભાજી પણ બનાવે છે . સફરજન એક કહેવત છે કે ડોક્ટરને તમારાથી દૂર રાખવા માટે રોજ એક સફરજન ખાઓ . અનેક રીતે લાભકારી સફરજનમાં ૮૬ ટકા પાણી હોય છે . તે ફાઈબર , વિટામિન – સી વગેરેનો સારો સ્ત્રોત છે . સલાડમાં ૯૫ ટકા પાણીનો સમાવેશ થાય છે . તેનો ઉપયોગ સેન્ડવિચમાં થાય છે પ્રોટીન અને ઓમેગા -૩ થી ભરપૂર સલાડમાં ચરબી હોતી નથી અને કેલરી પણ ખૂબ ઓછી . હોય છે . ઉનાળામાં રાંધેલા ભાત પણે તમારા માટે ખૂબ ફાયદાકારક છે , તેમાં 60 ટકા પાણીનું પ્રમાણ છે , તેમાં આયર્ન , કાર્બોહાઈડ્રેટ વગેરે પણ પૂરતા પ્રમાણમાં હોય છે . તમારે દિવસમાં એક વાડકી ભાત જરૂર ખાવો જોઈએ . સલાડ ભાત ખાવાથી ઉનાળામાં ખુબ ફાયદો થાય છે ઉનાળામાં બને ત્યાં સુધી હળવો ખોરાક જ ખાવો જોઈએ ભારે ખોરાક ખાવાનું ટાળવું જોઈએ જેથી પાચન આસાનીથી થઇ શકે , ઉનાળામાં પાણી પીવાનું વધારે જોર રાખવું જોઈએ તમે પ્રવાહી યુક્ત જ્યુસ પણ પી શકો છો તેમજ તમે પ્રવાહી યુક્ત ફાળો પણ ખાય શકો છો જેમકે તરબૂચ, મોસંબી, ટેટી વગેરે ફળો ઉનાળામાં ગરમીથી બચાવવામાં મદદ કરે છે
ઉનાળામાં થોડી થોડી વારે પાણી પીવું જોઈએ અને બહાર જાવ છો તડકામાં ત્યારે માથે ટોપી પહેરવી જોઈએ તેમજ આંખને તડકાથી બચાવવા માટે ચશ્માનો ઉપયોગ કરો જો તમે મજુરી કામ કે શારીરિક શ્રમ કરો છો તો ઓછામાં ઓછું ૪ લીટર પાણી પીવું જોઈએ