ચોમાસા દરમિયાન કોઈ પણ ટપાલ રવાના કરતાં પહેલાં સરનામાં પર મીણ ઘસી દો. આથી અક્ષરો ભીંજાશે નહીં.
મધને ચોખ્ખું અને લાંબા સમય સુધી સારું રાખવા માટે તેને સ્વચ્છ બાટલીમાં ભરી અંદર બે-ત્રણ લવિંગ નાખી દો. મોઢામાં દુર્ગંધ આવતી હોય તો જમ્યા પછી એલચી કે વરિયાળી ચાવીને ખાવાથી દુર્ગંધ દૂર થશે.
ગુલાબનાં ફૂલ, ચંપો, ચમેલી અને દૂધીને છીણી આ મિશ્રણને માથાનાં તેલમાં નાખવાથી વાળ કાળા, લાંબા બને છે અને ખોડો દૂર થાય છે.
કપડાં પરથી સાહીના ડાઘ દૂર કરવા માટે કપડાં પર શાહીનો ડાઘ પડયો હોય તો તેના પર મિથીલેટેડ સ્પિરીટ કે પેટ્રોલ ઘસવાથી ડાઘ દૂર થશે.જરીની સાડીઓ પ્લાસ્ટિકની કોથળીમાં ન રાખતાં, કપડાંની કોથળીમાં રાખો. પ્લાસ્ટિકની કોથળીમાં જરી કાળી પડી જશે. –

ગળેહેડકી આવતી હોય તો નાગરવેલનું પાન ચાવી, તેનો રસ ઉતારવાથી હેડકી આવતી બંધ થશે. – ચાના કુચાની ધૂણી કરવાથી માખીઓનો ત્રાસ ઓછા થાય છે.
સાથે આંખોની તાજગી પણ વધશે આંખોને ચકદાર બનાવવા માટે આટલું કરો ચોખ્ખું મધ આંખમાં નિયમિત રીતે નાખવાથી આંખોમાં તાજગી રહે છે અને આંખો ચમકદાર બને છે.

ખીલ અને બ્લેક’હેડસથી છૂટકારો મેળવવા માટે કડવી કાકડી કાપીને ચહેરા પર ઘસો. થોડીવાર રહેવા દો. ત્યાર બાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો.
એક ચમચો દૂધ અને એક ચમચો બદામના તેલમાં તુલસીના સૂકા પાનનો ભૂકો મેળવી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને હળવે હાથે ચહેરા પર ઘસવાથી ખીલ, કાળા દાગ વગેરે દૂર થશે.
જો તમારી ત્વચા(સ્કિન ) સૂકી હોય તો સ્કિન ચમકાવવા આટલા કરો જો તમારી ત્વચા સૂકી હોય તો પાકા કેળાનો માવો કરી તેમાં એક ચમચી મધ અને થોડાં લીંબુના ટીપાં ભેળવી ચહેરા પર લગાવો. સૂકી ત્વચા માટે આ ઉત્તમ માસ્ક છે.

અરીસાને ચકચકિત કરવા માટે આટલું કરો છાપાના કાગળને ભીનો કરી તેના પર થોડી ટુથપેસ્ટ લગાવો. અરીસા પર તે જ્યાં સુધી સૂકાઈ ન જાય ત્યાં સુધી ઘસો. અરીસો ચકચક્તિ થઇ જશે.
read this
- શિયાળામાં સ્ફૂર્તિ આપે એવા ઓસડીયા ઘરે જરૂર બનાવજો
- રસોડાના 5 ખૂબ કામના ટીપ્સ જે દરેક લોકોને કામમાં આવશે અને દરેક મહિલાને કિચન કિંગ બનાવી દેશે
- વર્ષો જૂની કે ન મટતી ઉધરસ ને મટાડવા માટેનું રામબાણ ઈલાજ | udharas no ilaj
- ઉપવાસ માટે ઉપયોગી રસોઈ ટીપ્સ | ફરાળી વાનગી માટેની ખાસ ટીપ્સ
- રોજ સવારે કરશો આ કામ તો જીમમાં ગયા વગર ઘટશે પેટની ચરબી અને વજન ઘટશે
દરેક મહિલાઓને કામમાં આવે તેવી 10+ ઘરગથ્થું ટિપ્સ | tips and tricks

ચોમાસા દરમિયાન કોઈ પણ ટપાલ રવાના કરતાં પહેલાં સરનામાં પર મીણ ઘસી દો. આથી અક્ષરો ભીંજાશે નહીં. મધને ચોખ્ખું અને લાંબા સમય સુધી સારું રાખવા માટે તેને સ્વચ્છ બાટલીમાં ભરી અંદર બે-ત્રણ લવિંગ નાખી દો. મોઢામાં દુર્ગંધ આવતી હોય તો જમ્યા પછી એલચી કે વરિયાળી ચાવીને ખાવાથી દુર્ગંધ દૂર થશે. ગુલાબનાં ફૂલ, ચંપો, ચમેલી અને…
