ખાટા ઓડકાર, ગેસ અને એસીડીટીથી પરેશાન છો તો અજમાવો દાદીમાંના ૧૦ ઘરેલુ ઉપાયો

ખાટા ઓડકાર , ગેસ અને એસીડીટીથી પરેશાન છો તો અજમાવો આ ૧૦ ઘરેલુ ઉપાયો આમ તો પેટમાં રહેલ વધારાની ગેસને બહાર કાઢવા માટે ડકાર આવવું એક સ્વભાવિક પ્રક્રિયા છે . પણ જરૂરથી વધારે ડકાર આવવી , ખાસ કરીને ખાટા ઓડકાર પરેશાન કરી નાખે છે. આ ઓડકારના લીધે કેટલાય લોકો શરમ અનુભવતા હોય છે હવે તમને જ્યારે પણ ઓડકાર આવે તો તેનાથી છુટકારો મેળવવા માટે અજમાવો આ ૧૦ ઘરેલૂ ઉપાય જે તમને ખાટા ઓડકારથી બચાવી શકશે

૧. ઈલાયચી ખોરાકને પાચન કરવામાં મદદ કરે છે એલચી પેટમાં ડાઈજેસ્ટિવ જૂસ જલ્દી બનવવામાં મદદ કરે છે. જેના કારણે પેટમાં ગેસ બને છે. સાથે જ એલચીના ખાવાથી પેટનો ફૂલવુ પણ ઓછું થાય છે. પેટની ગેસ અને ઓડકારથી રાહત મેળવવા માટે દરરોજ દિવસમાં ૩ વાર થોડી ઈલાયચીના દાણા ચાવવા. ૨ , ભોજન પછી અડધી ચમચી શેકેલી વરિયાળી ચાવવી તેનાથી વાર – વાર આવતી ડકારથી રાહત મળે છે. વરિયાળી ખાવવાથી પેટની ગેસ અને ઓડકારમાં રાહત મળે છે. વરિયાળી પાચન તંત્રને રાહત આપવાની સાથે સાથે, પેટ ફૂલવા, ખરાબ હાજમા, ગળામાં બળતરા જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

૩. પેટમાં ગેસ થતા અને હીંગ પાઉડરને માં લઈ ભીની કરીને નાભિ પર રાખવું. તેનાથી પેટની ગેસ નિકળી જશે અને પેટના દુઃખાવાની તકલીફ પણ ઠીક થઈ જશે. ૪. પેટમાં ગેસ, એસીડીટી, ખાટી ડકાર વગેરેની સમસ્યા હોય તો સંતરાના રસમાં થોડો શેકેલું જીરું અને સિંધાલૂણ નાખી પીવો. તેનાથી તમને જલ્દી આરામ મળશે.

૫. દરરોજ ભોજનમાં દહીં કે છાશ સામેલ કરવી , તેનાથી પેટમાં ગેસ અને ખાટી ડકારથી રાહત મળે છે . ૬. કેમોમાઈલ – ટી પીવાથી પેટમાં ગેસ નહીં બને, સાથે જ તેના સેવનથી ડકાર, પેટના દુખાવા જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. જો વધારે ડકાર આવી રહી હોય તો તમે દિવસમાં ૨-૩ કપ કેમોમાઈલ ટી પી શકો છો. ૭.પેટમાં ગેસ થતા એક ચમચી , અજમામાં ચોથાઈ ચમચી લીંબૂનો રસ મિક્સ કરી ચાટવું . તેનાથી ગૈસ તરત શાંત થશે અને ડકારથી પણ રાહત મળશે.

૮. જો એસિડીટીથી પરેશાન છો તો સવારે બે કેળા ખાઈને એક કપ દૂધ પીવો. આવુ નિયમિત રૂપથી કરવાથી થોડા જ દિવસોમાં એસિડીટીથી રાહત મળી જશે. ૯. એસિડીટી અને ગેસની તકલીફમાં ચોકર સાથે રોટલી ખાવાથી ફાયદો હોય છે. ૧૦. ભોજન પછી દૂધની સાથે બે મોટી ચમચી ઈસબગુલ લેવાથી એસિડીટીમાં લાભ મળે છે.

Leave a Comment