ચોમાસું શરુ થાય એટલે પગ સતત પાણીમાં પલળવાથી પગના ઘણા રોગ થાય છે નખ દુખવો ખુબ અસહ્ય દુખાવો છે જે નખમાં થતો એક રોગ છે. તેમજ ફીટ મોઝા અથવા બુટ પહેરવાથી પણ આ નખનો રોગ થાય છે. જે નખની નીચેના માંસમાં વાયુ અને પિત્ત દોષના લીધે પાક-પસ પેદા કરી અને દુ:ખાવો પેદા કરે છે. તેને કારણે નખનું સ્વાસ્થ્ય જોખમાય આ દર્દને નૈયું પાક્યું પણ કહેવામાં આવે છે.
નખની આજુબાજુ પાક થાય ત્યારે વાયુ અને પિત્ત દોષ ન વધે તેવા ખોરાક લેવા જોઈએ ખોરાકમાં મરચું, લસણ, ડુગંળી, ટામેટાં, દહીં, રીંગણ. મેંદામાંથી બનતી બનતી વાનગી બંધ કરો
નખમાં થતો આ એક વિચિત્ર પ્રકારનો રોગ છે. તેનાથી નખનો રંગ બ્દ્લાયછે અને કાળા-જાંબલી રંગના થઇ જાય છે. મોટી ઉંમરની વ્યકિતઓને હૃદય સંબંઘિત તકલીફ હોવાથી કાળા નખ, શરીરમાં ઓકિસજન લેવલ ઓછું કરે છે એમ બતાવે છે. આ સમસ્યા માટે પ્રાણાયામ ખુબ જરૂરી બને છે
નાની ઉંમરમાં કાળા નખ થવાનું કારણ નખ નીચે રહેલી રક્તવાહિનીઓમાં ક્ષત પડતાં તેમાંથી કેટલુંક રક્ત બહાર નીકળી નખ નીચે પ્રસરી જાય છે. જેને કારણે નખ કાળા- જાંબલી રંગના થઇ જાય છે. રક્તવાહિનીઓમાં ક્ષત પડવાનું-તૂટવાનું કારણ લોહીમાં પિત્તદોષ વધી જતાં આવી સમસ્યાઓ પેદા થાય છે. આમાં પણ તીખો-તળેલો- ગરમ- આથાવાળો ખોરાક છોડવો જોઇએ
આ સમસ્યા માટે ઉપાય શું કરવો કરવો: આમળાં- આમળાં અને સાકર સરખા ભાગે ભેગા કરી રોજ સવારે અને સાંજે અડધી-અડધી ચમચી પાણી સાથે લેવું. આમળાં પિત્તશામક છે. તેનાથી રક્તમાંની પિત્તની માત્રા ઘટતાં નખની કાળાશ ધીમે ધીમે ઘટવા માંડે છે. બકરીનું દૂધ- કોઇપણ પ્રકારના બ્લિડિંગ, ઇન્ટરલ બ્લિડિંગમાં બકરીનું દૂઘ શ્રેષ્ઠ દવા છે. તેનાથી રક્તવાહિનીઓની દીવાલ મજબૂત બને છે. રક્તમાંથી પિત્તની માત્રા ઘટે છે. દિવસમાં બે વાર સાકર અને ઇલાયચી નાખીને પીવું.
નખમાં થતી ફુગથી અને અસહ્ય દુખાવાથી છુટકારો મેળવવા આ ઘરગથ્થું ઉપચાર અજમાવો : લસણ નખની ફૂગને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. લસણમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. લસણની કળીને ખાંડીને તેમાં સફેદ વિનેગર મિક્સ કરો. નખને તેમાં ૧૦ થી ૨૦ મિનિટ સુધી ડુબાડી રાખવા આ ઉપાય કરવાથી નખની બધી સમસ્યા માં રાહત થઈ જશે.
લીંબુનો ઘરગથ્થું ઉપચાર: ફૂગને દૂર કરવા માટે લીંબુનો રસ ખૂબ જ ઉપયોગી છે. લીંબુ એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. જે ફૂગ વધવાથી રોકે છે, લીંબુના રસને નખ પર બેથી ત્રણ વખત લગાવો. સૂકાઈ જાય પછી સાદા પાણીથી સાફ કરી લો. આવું કરવાથી થોડાક જ દિવસમાં ફૂગની ઇન્ફેક્શનમાં રાહત મળે છે.
આંબલાનો ઘરગથ્થું ઉપચારઆમળાના બે થી ત્રણ તેલના ટીપા લો. તેને પંદરથી વીસ મિનિટ માટે લગાવેલું રાખો. ત્યારબાદ તેને ટિશ્યૂ પેપરથી અથવા પાણીથી સાફ કરી લો. આવું બે દિવસ કરવાથી તરત જ ફાયદો થઈ જશે.
COCONUT OIL : દિવસમાં ત્રણ વખત નાળિયેર તેલ લગાવવાથી ફૂગની સમસ્યામાં તરત જ રાહત થશે. નાળિયેર તેલ ફૂગ વિરોધી હોય છે, એટલે તેનાથી રાહત મળે છે.